ચાલો, ઈતિહાસ જાણી
ચાલો, ઈતિહાસ જાણી
ભોજપત્ર
ભોજપત્ર એટલે હિમાલય પર્વત પરના ભૂર્જ નામના વિશિષ્ટ વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાનું
તાડપત્રો
તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાવેલી હસ્તપ્રતો. ભુર્જની આંતરછાલની સાચવણી હસ્તપ્રત સ્વરૂપે પ્રાચીનકાળમાં મંદિરો અને મઠોમાં સચવાયેલી રહેતી. પ્રાચીન સમયમાં લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો.
અભિલેખો
રાજાઓ પોતાની સિદ્ધિઓ કે આદેશો ધાનુ કે પથ્થર પર કોતરાવતાં હતાં. આવાં ધાતુ કે પથ્થરના લેખોને "અભિલેખો' કહેવાય છે.અભિલેખો પર અંકિત રાજવીઓની સિદ્ધિ, સંસ્કૃતિ, કર્મ, વિજયો અને પ્રજા સાથેનાં સંવાદોનો ઉલ્લેખ મળે છે.
તામ્રપત્રો
તાંબાના પતરા પર કોતરીને લખાતું લખાણ એટલે તામ્રપત્ર. ગુજરાતમાં મોટી સંખ્યામાં તામ્રપત્રો મળ્યાં છે જેમાંથી રાજાના નામ, વંશ, ધર્મ, વહીવટ અને કાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો કેટલીક સંરવાઓમાં સચવાયેલા છે
તામ્રપત્રોનો સંગ્રહ ધરાવતી સંસ્થાઓ
હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી=પાટણ
મહાવીર જૈન આરાધના કેન્દ્ર =ગાંધીનગ
ભો.જે.અધ્યયન અને સંશોધન ગૃહ=અમદાવાદ
એલ.ડી. ઈન્સ્ટિટપૂટ ઓફ ઈન્ડોલોજી=અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય=અમદાવાદ
Comments
Post a Comment